વિશ્વ પુસ્તક દિન....

 
  “ઇન્સત્રૂમેન્ટ ધેટ રેકોર્ડ, એનાલાઇઝ,સમારાઈઝ, ઓર્ગેનાઈઝ, ડીબેટ એન્ડ એક્સ્પ્લેઇન ઇન્ફોર્મેશન વિચ આર ઇલ્યુસટ્રેટીવ, નોન-ઇલ્યુસટ્રેટીવ, હાર્ડબાઉન્ડ,પેપરબેક,જેકેટેડ,નોન-જેકેટેડ,વિથ અ ફોરવર્ડ ઇન્ટ્રોડકશન, ટેબલ ઓફ કન્ટેન્ટ,ઈન્ડેક્ષ ધેટ આર ઇન્ટેનડેડ ફોર ધ એનલાઈટમેન્ટ,અંડરસ્ટેન્ડિંગ,એનરીચમેન્ટ,એનહાન્સમેન્ટ એન્ડ એજ્યુકેશન ઓફ ધ હ્યુમન બ્રેઈન થ્રુ ધ સેન્સરી રૂટ ઓફ વિઝન...... સમટાઈમ ટચ.” 
“વોટ ડુ યુ વિશ ટુ સે?”.“બુક્સ સર, કિતાબે.. “ 
                  “થ્રી ઇડીયટસ”ના આ સંવાદથી આપણે ખૂબ પરિચિત છીએ.પણ આજે અચાનક આ સંવાદ અહી લખવાનું શું કારણ હોઈ શકે? દુનિયામાં બધી જ વસ્તુ પાછળ કારણ હોઈ છે.જેમ મૂવીના આ દ્રશ્યમાં સરળ વ્યાખ્યાને બદલે ગોખાયેલી અને લાંબી વ્યાખ્યાને મહત્તા અપાય છે એ જ પ્રમાણે જિંદગીના સરળ કારણો કરતા આપણે હમેશા જટિલ પ્રશ્નોને જ મહત્તા આપી છે. ખેર, મૂળ વાત પર આવીએ તો આજના લેખની શરૂઆત પુસ્તકોની આ જટિલ વ્યાખ્યાથી કરવા પાછળનો હેતુ છે કે આજે “વિશ્વ પુસ્તક દિન” છે.આ દિવસને “ઇન્ટરનેશનલ ડે ઓફ ધ બૂક” કે પછી “વર્લ્ડ બૂક ડેયસ” તરીકે પણ ઓળખવામાં આવે છે.દર વર્ષે ૨૩મી એપ્રિલે આ દિવસ યુનેસ્કોના નેતૃત્વ હેઠળ ઉજવવામાં આવે છે.આ ઉજવણીનો હેતુ વાંચન, પ્રકાશન અને કોપીરાઈટને પ્રોત્સાહન આપવાનો છે.સૌપ્રથમ વાર ૧૯૯૫માં આ દિવસની ઉજવણી શરુ કરવામાં આવી હતી.આ દિવસની પસંદગી બે કારણોને આધારે કરવામાં આવી હતી.એક, મહાન કવિ અને નાટ્યલેખક વિલિયમ શેક્સપીયરની જન્મતિથિ તથા મરણતિથિ અને બીજા અનેક મહાન નવલકથાકારો અને પત્રકારોની મરણતિથિને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાંજલિરૂપે આ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે.તો ઘણા દેશો માર્ચ મહિનાના પહેલા ગુરુવારને “વિશ્વ પુસ્તક દિન” તરીકે ઉજવે છે. 
                     આ દિવસની ઉજવણીનો હેતુ ઘણો સ્પષ્ટ છે.મહાન લેખકો અને નવલકથાકારોની યાદમાં, તેમણે લખેલા અત્યંત રસપ્રદ અને જાણીતા પુસ્તકો તથા બાળકો અને દરેક વર્ગના લોકો સુધી પુસ્તક્વાંચનથી મળતા અનહદ આનંદની લાગણી પહોચાડવાની આ એક ઝુંબેશ છે.વળી, લેખકો જેમની ખોટ આજેય આપણે અનુભવી શકીએ છે તેમના અભિવાદન માટેય આ દિવસ સમગ્ર વિશ્વમાં ખૂબ હોંશથી ઉજવાય છે.બીજો મહત્વનો હેતુ લોકોમાં કોપીરાઈટ વિષે જાગૃતતા ફેલાવવાનો પણ છે.વિશ્વભરના લોકોમાં કોપીરાઈટ વિષે સમજણ વધે અને કોપીરાઈટની જાળવણી થાય એ અત્યંત આવશ્યક છે.આ ઉપરાંત, ખરેખર આ દિવસે લોકો દ્વારા કઈ પ્રવૃત્તિ થાય છે એ જાણવું વધુ રસપ્રદ છે.આખા વિશ્વમાં વાંચન અને એકબીજાની સંસ્કૃતિને જાળવવા તથા એની વૃદ્ધિ કરવા અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે.એમાંની ઘણી પ્રવૃતિઓ આંતરરાષ્ટ્રીય સહકાર અથવા મિત્રતાને પ્રોત્સાહિત કરવા અંગેની હોય છે.ઘણી બધી પ્રવૃતિઓ જેવી કે ગ્રુપમાં પુસ્તકોનું વાંચન અને નાટકો રજૂ કરવા,બૂક્માંર્ક્સની વહેચણી કરવી,સાહિત્યિક સ્પર્ધાઓના વિજેતાઓની ઘોષણા કરવી અને કોપીરાઈટ વિશેની સમજણ વધારવી તથા લેખકોની બુદ્ધિમત્તા જાળવવા જેવી અનેક પ્રવૃત્તિ રસસ્પ્રદ રીતે માણવામાં આવે છે. ઘણા વર્ષથી યુનેસ્કો બાળકો અને યુવાનોની સાહિત્યમાં “સર્વિસ ઓફ ટોલેરન્સ”ને સન્માનિત કરી રહ્યું છે.આ સન્માન નવલકથા, નાની વાર્તાઓનો સંગ્રહ તથા ચિત્રકાથાઓ કે જે ધેર્ય, શાંતિ, પરસ્પર સમજુતી અને એકબીજાની સંસ્કૃતિ માટેના સન્માનમાં વધારો કરવા માટે કરવામાં આવે છે.વધુમાં, દર વર્ષે પોસ્ટર બનવવામાં આવે છે અને તેની આખા વિશ્વમાં વહેચણી કરવામાં આવે છે.એમાં યુથને અને ખાસ કરીને બાળકોને પુસ્તકો વાચવા પ્રોત્સાહન મળે તથા સાહિત્યનું મૂલ્ય વધે એ હેતુસર ચિત્રો દર્શાવામાં આવે છે.વિશ્વ પુસ્તક દિવસ અને કોપીરાઈટદિવસ માટે લોગો પણ બનવાવમાં આવ્યો છે.જેમાં એક વર્તુળ બતાવામાં આવે છે કે જે દુનિયાનું સંકેત છે જયારે બે પુસ્તક દર્શાવ્યા છે જેમાનું એક ખુલ્લું રાખવામાં આવ્યું છે.
આટલી પ્રવૃતિઓ કે દિવસની ઉજવણી પાછળ મહત્વ ફક્ત આજના યુવાવર્ગને પુસ્તકો અંગે જાગૃત કરવાનું છે. પુસ્તકો એક માત્ર એવા વફાદાર મિત્રો છે કે જે આપણને હસાવે છે, રડાવે છે, નૈતિક મુલ્યો સમજાવે છે અને આપણા મૂડ પ્રમાણે આપણને સમજે છે. એકવાર પુસ્તકો સાથે મૈત્રી થયા પછી દુનિયાને જોવાની નજર બદલાતા વાર નથી લાગતી. પુસ્તકો જીવનમાં જરૂરી ધૈર્ય અને પુખ્તતા લાવે છે. આજે આંગળીના એક ટેરવે અસંખ્ય પાનાઓ ઈન્ટરનેટ પર વિનામૂલ્યે મળે છે પરંતુ કહેવાય છે ને કે સરળતાથી મળતી વસ્તુની કીમત લાંબાગાળા સુધી રહેતી નથી એ જ પ્રમાણે આજે પુસ્તકો અને એમનો રસાસ્વાદ ધીમે ધીમે ઘટતો જાય છે. તો ચાલો આ વિચારસરણીને બદલીએ.ગૂગલની એક શોધ પ્રમાણે ઓગસ્ટ,૨૦૧૦ સુધીમાં ૧૨૯,૬૮૪,૮૮૦ જેટલા પુસ્તકો પ્રકાશિત થયા હતા અને આ આંકડો વધીને ૨૦૧૩મા ૩૦ મિલિયનની પણ ઉપર પહોચી ગયો છે. અરે, માત્ર ગુજરાતીમાં જ દર વર્ષે આશરે ૨૫,૦૦૦ પુસ્તકો પ્રકાશિત થાય છે.શું આમાંથી આપણા રસના પુસ્તકો મેળવી આપણા મનગમતા વિચારો અપનાવી ન શકાય? તો ચાલો, આ પુસ્તક દિન નિમિત્તે એક પણ લઈએ- પુસ્તકોને મિત્રો બનવાનું પણ. 
કેટલાક જાણીતા ગુજરાતી લેખકોના પુસ્તક વિશેના અભિપ્રાયો જાણીએ એમના જ શબ્દોમાં,
શિશિર રામાવત સરના શબ્દોમાં, 'મનગમતાં પુસ્તકને હાથમાં લેવું, એને પંપાળવું, એનાં લિસ્સાં પાનાં પર હથેળી ફેરવવી - આ એક જીવતી અનુભૂતિ છે. પુસ્તકો આસપાસ હોય ત્યારે એક પ્રકારની સલામતી, એક એશ્યોરન્સ ફીલ થાય છે, સ્વજનો અને આત્મીય મિત્રોની હાજરીમાં ફીલ થતું હોય એવું... કે જિંદગી સરસ છે, સહ્ય છે, બધું બરાબર છે, નથિંગ ઈઝ રોંગ! ઈમોશનલ લેવલ પર કટોકટી અનુભવાતી હોય તો કે પીડાની ક્ષણો હોય તો પુસ્તકોનો સંગાથ કહેતો હોય છે કે ડોન્ટ વરી દોસ્ત... બધું પસાર થઈ જશે, સૌ સારાવાનાં થશે! આ કેટલી મોટી વાત છે. સિનેમા અને ટેલિવિઝનનો સહારો લેવો પલાયનવાદ હોઈ શકે, સમસ્યાને થોડી વાર માટે ભુલી જવાનો કે તેનાથી નાસી છૂટવાની ચેષ્ટા હોઈ શકે, પણ સત્ત્વશીલ પુસ્તકો ક્યારેય પલાયનવાદને પોષતાં નથી. એ તો આપણને સમસ્યાની આંખોમાં આંખ પરોવીને જોતાં, એનો સામનો કરતાં શીખવે છે, આપણને ખબર પણ ન પડે તે રીતે જરુરી બળ પૂરું પાડે છે. વાંચી-લખી-વિચારી શકતા માણસ માટે પુસ્તકો કરતાં શ્રેષ્ઠ ચીજ બીજી કોઈ નથી.'
પ્રતિભા ઠક્કરના શબ્દોમાં,' આ એક એવો દરિયો છે જે આપણા બે હાથ માં સમાઈ જાય છે . પુસ્તકના આ દરિયા માં કેટકેટલા મોજા આવીને આપણા દિલ-દિમાગ પર અથડાઈ છે અને આપણ ને કશુક આપી જાય છે જે આપણે માટે અમુલ્ય બની રહે છે. યાદ કરવા જેવા છે એ દિવસો ...બાળપોથી થી માંડી ને આજ દિન સુધી એનો સાથ કાયમ નો છે. નેટ યુગ ભલે રહ્યો પણ છતાં પાયો તો પુસ્તકમાં જ છે.........એ દિવસો માં મનોરંજન ના સાધનો સીમિત હતા ત્યારે પુસ્તક અમારા મનગમતા સાથીદાર હતા, ક્યારે વેકેશન પડે અને ક્યારે મન માં યાદી તૈયાર કરેલા પુસ્તકો લાઈબ્રેરી માં થી લાવવા એ જાણે ગોલ બની રહેતો . 
પુસ્તકે બધુજ આપ્યું એમ કહું તો ચાલે . મને આ પુસ્તક સાથે ની મૈત્રી મારા બા અને મોટી બહેને કરાવેલી . સમયાંતરે બધા દૂર થતા ગયા પણ પુસ્તક નહિ. ઇવન અમારા વ્યવસાયમાં અમારી ઓફીસ ની શોભા પણ બની રહ્યા . આમ પુસ્તકો સાથે અભ્યાસકાળ થી માંડી ને આજ દીન અને આજીવન મૈત્રી છે ....'
આ ઉપરાંત, વિલિયમ શેક્સપિયરનું એક ઘણું જાણીતું અવતરણ છે, “વિચાર વિના શબ્દો કદી ઊંચે જઈ શકતા નથી.” જરા આ વિચારને વિસ્તૃતરૂપે જોઈએ તો ખ્યાલ આવશે કે વિચાર પુસ્તકોનું જ પરિણામ છે.તથા એક રોમન ફિલોસોફર માર્કસ તુલીયસ પ્રમાણે ”પુસ્તકો વિનાનો ઓરડો એ આત્મા વિનાના શરીર સમો છે.” પુસ્તકનું મહત્વ ટાંકનાર આવા કેટલાય લેખકો અને ફિલોસોફર દુનિયાભરમાં રહેલા છે.ગુણવંત શાહે સાચે જ કહ્યું છે કે જેના ઘરે પુસ્તક નહી, એના ઘરે દીકરી આપવી નહિ.પુસ્તકોનું મહત્વ કેટલા સરળ શબ્દોમાં! અને અંતે મહાત્માગાંધીજીના શબ્દોથી આજના પુસ્તકદિવસની શરૂઆત કરીએ. તેઓ કહે છે કે “જીવી લો જાણે કાલે મૃત્યુ પામવાના હોવ અને શીખી-ભણી લો જાણે નિરંતર જીવવાના હોવ."
હેપ્પી વિશ્વ પુસ્તક દિન... કીપ રીડીંગ!!! 
ખુબ જ ખુશી સાથે અહી ગુજરાત ગાર્ડિયનની(http://gujaratguardian.in/Homepage.aspx) લીંક ઉમેરું છે જેમાં પ્રથમવાર મારો લેખ પ્રકાશિત થયો....

Views: 500

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by Ami Dhabuwala on May 3, 2013 at 3:45pm
Thank you:)
Comment by Lakhani Mitul ( એન્જલ ) on May 3, 2013 at 3:17pm
nice collection ami

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service